||દાદાસાહેબ ફાળકે એવોર્ડ - 2023||
👉મલયાલમ ફિલ્મોના સુપર સ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે.
👉મલયાલમ ફિલ્મોના સૌથી મોટા સ્ટાર્સ મોહનલાલને તેમની લાંબી અને સફળ કારકિર્દી બદલ ભારત સરકાર દ્વારા દાદાસાહેબ ફાળકે એવોર્ડ- ૨૦૨૩થી સન્માનિત કરાશે.
👉માહિતી અને પ્રસારણ મંત્રાલયે શનિવારે તારીખ 20/09/2025 ના રોજ X પર પોસ્ટ કર્યું હતું.
👉મોહનલાલની અદભૂત સિનેમેટિક યાત્રા પેઢીઓને પ્રેરણા આપે છે.
👉૨૩ સપ્ટેમ્બરે ૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ ૨૦૨૩ આપવામાં આવશે.
👉આ સન્માન દર વર્ષે એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે ભારતીય સિનેમાના વિકાસ અને યોગદાનમાં વિશેષ ભૂમિકા ભજવી હોય.
👉મોહનલાલ માત્ર મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર જ નથી, પરંતુ તેઓ દેશભરના પ્રેક્ષકો માટે પ્રેરણારૂપ છે.
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !