BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Showing posts with label Science (વિજ્ઞાન). Show all posts
Showing posts with label Science (વિજ્ઞાન). Show all posts

Thursday, October 21, 2021

October 21, 2021

Science Standard 8th Sem 1 Colour book pdf file

Jidiya Sanjay ,create a blog

|| Science Standard 8th Sem 1 Colour book PDF file ||

  1. પ્રકરણ 1:પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન:CLICK HERE

  2. પ્રકરણ 2:સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ:CLICK HERE

  3. પ્રકરણ 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક:CLICK HERE

  4. પ્રકરણ 4:પદાર્થો : ધાતુ અને  અધાતુ:CLICK HERE

  5. પ્રકરણ 5:કોલસો અને પેટ્રોલિયમ:CLICK HERE

  6. પ્રકરણ 6:દહન અને જ્યોત:CLICK HERE


|| Science Standard 8th Sem 1 VIDEO FILE ||

પ્રકરણ 1:પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન:Click Here
પ્રકરણ 2:સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ:Click Here
પ્રકરણ 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક:Click Here
પ્રકરણ 4:પદાર્થો : ધાતુ અને  અધાતુ:Click Here
પ્રકરણ 5:કોલસો અને પેટ્રોલિયમ:Click Here
પ્રકરણ 6:દહન અને જ્યોત:Click Here
પ્રકરણ 7:વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ:Click Here
પ્રકરણ 8:કોષ -રચના અને કાર્યો:Click Here

👇|| Science Standard 6/7/8 Useful pdf and video FILE ||👇



Sunday, September 13, 2020

September 13, 2020

ધોરણ 6,7,8 વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રના તમામ પ્રકરણના વિડિયો /પીડીએફ || Standard 6,7,8 Science Frist Semester all Chapter Videos and PDF ||

Jidiya Sanjay ,create a blog

વિજ્ઞાન ધોરણ 6 ના એકમ પ્રમાણે વિડીયો (સમજૂતી,સ્વાધ્યાય,મહત્વના પ્રશ્નો એકસાથે) 

SCIENCE STANDARD 6th ALL VIDEOS:Click Here




ધોરણ 6 વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રના દરેક પ્રકરણના ક્રમશ: વિડિયો માટે 👇👇


પ્રકરણ 1: ખોરાક ક્યાંથી મળે છે?:Click Here
પ્રકરણ 2: આહરના ઘટકો:Click Here
પ્રકરણ 3: રેસાથી કાપડ સુધી:Click Here
પ્રકરણ 4: વસ્તુઓના જૂથ બનાવવા:Click Here
પ્રકરણ 5 : પદાર્થોનું અલગીકરણ:Click Here
પ્રકરણ 6 : આપણી આસપાસ થતાં ફેરફારો:Click Here
પ્રકરણ 7: વનસ્પતિની જાણકારી મેળવીએ:Click Here
પ્રકરણ 8 : શરીરનું હલનચલન:Click Here


ધોરણ 6 વિજ્ઞાન વિષયનું પાઠ્યપુસ્તક ડાઉનલૉર્ડ કરો 👇👇



વિજ્ઞાન ધોરણ 7 ના એકમ પ્રમાણે વિડીયો(સમજૂતી/સ્વાધ્યાય/મહત્વના પ્રશ્નો એકસાથે)

SCIENCE STANDARD 7th ALL VIDEOS:Click Here




ધોરણ 7 વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રના દરેક પ્રકરણના ક્રમશ: વિડિયો માટે 👇👇


પ્રકરણ 1: વનસ્પતિમાં પોષણ:Click Here
પ્રકરણ 2: પ્રાણીઓમાં પોષણ:Click Here
પ્રકરણ 3 :રેસાથી કાપડ સુધી:Click Here
પ્રકરણ 4 :ઉષ્મા:Click Here
પ્રકરણ 5 :એસિડ, બેઈઝ અને ક્ષાર:Click Here
પ્રકરણ 6 :ભૌતિક અને રાસાયણિક ફેરફારો:Click Here
પ્રકરણ 7 :હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન:Click Here
પ્રકરણ 8: પવન, વાવાઝોડું અને ચક્રવાત:Click Here

ધોરણ 7 વિજ્ઞાન વિષયનું પાઠ્યપુસ્તક ડાઉનલૉર્ડ કરો 👇👇


વિજ્ઞાન ધોરણ 8 ના એકમ પ્રમાણે વિડીયો(સમજૂતી/સ્વાધ્યાય/મહત્વના પ્રશ્નો એકસાથે 

SCIENCE STANDARD 8th ALL VIDEOS:Click Here




ધોરણ 8 વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રના દરેક પ્રકરણના ક્રમશ: વિડિયો માટે 👇👇


પ્રકરણ 1:પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન:Click Here
પ્રકરણ 2:સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ:Click Here
પ્રકરણ 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક:Click Here
પ્રકરણ 4:પદાર્થો : ધાતુ અને  અધાતુ:Click Here
પ્રકરણ 5:કોલસો અને પેટ્રોલિયમ:Click Here
પ્રકરણ 6:દહન અને જ્યોત:Click Here
પ્રકરણ 7:વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ:Click Here
પ્રકરણ 8:કોષ -રચના અને કાર્યો:Click Here


ધોરણ 8 વિજ્ઞાન વિષયનું પાઠ્યપુસ્તક ડાઉનલૉર્ડ કરો 👇👇





ONLINE QUIZ SCIENCE STANDARD 6 TO 8 :CLICK HERE

HOME LEARNING VIDEO:CLICK HERE

એકમ કસોટી સોલ્યુશન :CLICK HERE


Our Social Links:
YouTube:-CLICK HERE
Website:-CLICK HERE
Telegram:-CLICK HERE
WhatsApp Group:CLICK HERE

વિજ્ઞાન વિષયના અભ્યાસ માટે માત્ર SCIENCE લખી મેસેજ કરો:-



નમસ્તે મિત્રો , આવી ખૂબ જ અગત્યની શૈક્ષણિક પોસ્ટ માટે અમારા બ્લોગની નિયમિત મુલાકાત અવશ્ય લેતા રહો. અને વિવિધ શૈક્ષણિક વિડિયો નિયમિત મેળવવા નીચે આપેલ ફોટા પર ક્લિક કરી અમારી યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.જો માહિતી સારી લાગે તો દરેક વિધ્યાર્થીઓ સુધી પહોંચાડો. આભાર ! જય હિન્દ! જય ભારત !













Saturday, September 12, 2020

September 12, 2020

વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત || Science Class 7th Chapter 8 Winds,Storms and Cyclones ||

Jidiya Sanjay ,create a blog

વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત 
|| Science Class 7th Chapter 8 Winds,Storms and Cyclones ||


પ્રકરણ 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત
પ્રકરણની સમજૂતી ભાગ:1:Click Here 
પ્રકરણની સમજૂતી ભાગ:2:Click Here 
પ્રકરણની સમજૂતી ભાગ:3:Click Here 
પ્રકરણનો સ્વાધ્યાય:Click Here 
પ્રકરણના અગત્યના પ્રશ્નો:Click Here


પ્રકરણની સમજૂતી ભાગ:1,2 અને 3 

## 8.1 હવા દબાણ કરે છે##
- હવા એ બધી બાજુથી દબાણ કરે છે. સામાન્ય રીતે હવા એ ઊંચા દબાણ તરફથી નીચા દબાણ તરફ ગતિ કરે છે.
- સાઈકલની ટ્યુબની અંદર  દબાણ થી હવા ભરેલી હોય છે. એટલે તે ચલાવવામાં સરળતા રહે છે. ખૂબ જ વધારે દબાણે હવા ભરતા તે ફાટી જવાની પણ શક્યતા રહે છે.
- તેની ટ્યુબ બધી બાજુ સમાન દબાણ લગાડે છે માટે તેનો આકાર બધી બાજુ સરખો હોય છે.
- **  પવન આવવાનું કારણ પણ હવાનું દબાણ જ છે. જ્યાં હવાનું ઓછું દબાણ હોય તે બાજુ હવા આવે છે જેને આપણે પવન કહીએ છીએ. 
- આ કારણે જ દરિયાઈ લહેર અને ભુ લહેર પણ આવે છે.
- હવાનું દબાણ આપણા પર સતત લાગતું હોય છે.


- પ્રવૃત્તિ**ગરમ પાણી ભરેલો ડબ્બો
- કાગળનો ડૂચો બોટલની અંદર ફૂંક મારીને નાખવો
- ફુગ્ગાઓ પર ફૂંક મારવી 
- કાગળની પટ્ટીને મોમાં રાખી ફૂંક મારવી
આમ, આપણે કહી શકીએ કે પવનની ઝડપ વધતા તે સ્થાન હવાના દબાણમાં ઘટાડો થાય છે.
- મકાનના છાપરા પરથી પવન પસાર થાય છે ત્યારે ઉપર તરફ દબાણ ઘટતા છાપરા પણ ઉડી શકે છે.
- હવા વધુ દબાણ વાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. 
- જેમ દબાણનો તફાવત વધુ તેમ હવાની  ઝડપ વધુ. 

## ગરમ થવાથી હવાનું કદ વધે છે. ##
પ્રવૃત્તિ - ગરમ અને ઠંડા પાણીમાં રહેલ ફુગ્ગાનો આકાર ..
પ્રવૃત્તિ - ગરમ હવા ઊંચે ચડે
- આમ કહી શકાય કે ગરમ હવા ઠંડી હવા કરતા હલકી છે. તેથી ઉપર ચડે છે.
- વરસાદ આવવા પાછળનું કારણ પણ આ જ છે.


## 8.4 પવન કઈ રીતે ઉત્પન્ન થાય છે##
- વિવિધ સ્થળો સમાન ગરમ થતાં નથી તેથી પવન ઉત્પન્ન થાય છે.
A) ધ્રુવ પ્રદેશો તથા વિષુવવૃત્તીય પ્રદેશો નું અસમાન રીતે ગરમ થવું. 
- વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો  સીધા પડે છે તેથી તે વધુ ગરમ થાય છે. તે વિસ્તારોની હવા ગરમ થાય છે અને ઊંચે ચડે છે. તેની આસપાસના વિસ્તારની હવા ત્યાં આવતી રહે છે જેથી પવન આવે છે. પવન ફુંકાવાની દિશા વિષુવવૃત્ત તરફની હોય છે.  
- ધ્રુવ પ્રદેશ ની હવા ઠંડી હોય છે જેથી તે હવા જ્યાં ગરમ હવા હોય તે બાજુ ખસે છે. 
B) જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું.*
- સામન્ય રીતે ઉનાળામાં જમીન વધુ ગરમ હોય છે તેથી હવા ઊંચે ચડે છે. જેથી પવનનો પ્રવાહ દરિયા તરફથી જમીન તરફ નો હોય છે. જ્યારે શિયાળામાં પવનની દિશા ઉલ્ટાય છે. જે જમીનથી સમુદ્ર તરફની હોય છે. 
- સમુદ્ર તરફથી આવતો પવન વરસાદ લાવે છે.
- ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈને આવે છે જેને કારણે વરસાદ આવે છે. 
- વરસાદ દરેક વખતે સુખ દાયક હોવો એ જરૂરી નથી. અતિવૃષ્ટિ ખૂબ જ ભયંકર હોનારત છે. આ ઉપરાંત ગાજવીજ સાથેનું વાવાઝોડું તથા ચક્રવાત નુકસાન પણ કરી શકે છે.
### ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત ##
- ભારતની આબોહવા ગરમ, ભેજવાળી અને ઉષ્ણકટિબંધીય છે. 
- જમીનના તાપમાનના વધારા સાથે ઉપર જતો પવન પ્રબળ બને છે. જે પોતાની સાથે પાણીના ટીપાં ઉપર લઇ જાય છે, ત્યાં તે ઠરી જાય છે જે ફરીથી જમીન પર પડે છે.
- નીચે પડતાં પાણીના ટીપાં અને ઉપર તરફ ઝડપથી હતી હવા વીજળી  અને ગડગડાટ ઉત્પન્ન કરે છે. જેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે. 
### ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાત મા કેવી રીતે રૂપાંતર થાય છે###
- જ્યારે વરાળમાંથી પાણી બને છે ત્યારે વરસાદના ટીપા બને છે. જે વાતાવરણમાં ઉષ્મા પાછી આપે છે. 
- આ ઉષ્મા તેની આસપાસની હવાને ગરમ કરે છે. આમ થતાં ત્યાં દબાણ ઘટે છે અને આજુબાજુની હવા ત્યાં ઘસી આવે છે.
- આમ આ કેન્દ્ર મા એક ચક્ર રચાય છે જેની આસપાસ ઝડપથી પવનો ઘસી આવે છે. આવી પરિસ્થિતિ ને ચક્રવાત કહેવાય છે.
- ચક્રવાતના નિર્માણમાં પવનની ઝડપ, પવનની દિશા, તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે.
### ચક્રવાતના કારણે થતો વિનાશ ##
- ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે છે. ચક્રવાત સમુદ્ર કિનારાથી સેંકડો કિમી દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે. 
- ચક્રવાત દ્વારા બનતા પાણીના મોજા ક્ક ખુબજ વિનાશકારી છે. 
- ચક્રવાત ની આંખ  આગળનું ઓછું દબાણ , તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે. અંહિ પાણી 3 થી 12 મોટર હોઈ શકે છે.
- ચક્રવાત કિનારા વાળા વિસ્તાર તરફ ઘસી આવે તો માલમિલકત તથા ત્યાંના જનજીવન ને ગંભીર નુકસાન પહોંચાડે છે. 
- તેના કારણે પુર તથા વરસાદ પણ આવે છે.
- ઝડપી ચક્રવાત સંદેશા વ્યવહારના સાધનો, વૃક્ષો તેમજ માલ મિલકત ની મોટી હોનારત સર્જે છે.
- ###  અમેરિકા ખંડ માં તેને  હરિકેન અને જાપાનમાં તેને ટાયફૂન કહેવાય છે###- 


* વંટોળ * : 
- વંટોળ એટલે ગળણી આકારનું કાળું વાદળ જે આકાશથી જમીન ની સપાટી પર પહોંચે છે. 
- મોટા ભાગના વંટોળ નબળા હોય છે. પરંતુ વિનાશકારી વાંટોળની ગતિ લગભગ 300 કિમી / કલાક જેટલી હોઈ શકે છે.
## ચક્રવાત થી બચવાના અસરકારક પગલાં ##
- ચક્રવાતની આગાહી અને આગમચેતી ની વ્યવસ્થા
- સરકારી સંસ્થાઓ , દરિયાકાંઠા ના વિસ્તારો, સંદેશાવ્યવહાર
- ઝડપથી લોકોને સુરક્ષાત્મક સ્થાનો પર સરકાર દ્વારા પહોંચાડવા
- હવામાન દ્વારા થતી ચેતવણી નકારવી નહિ.
- અનિવાર્ય સામાન તથા પાલતુ જાનવરો ને સુરક્ષિત સ્થાને લઈ જવા.
- પોલીસ, ફાયરબ્રિગેડ અને મેડિકલ સેન્ટર ના ફોન નંબર હાથવગા રાખવા.
## ચક્રવાત વિસ્તારના લોકોએ શું કરવું##
- દૂષિત પાણીનો વપરાશ ન કરવો.
- વીજળીના ભીના તારનો સ્પર્શ પણ ન કરવો.
- ફરવાના બહાને ચક્રવાતના સ્થળો એ ન જવું.
- બચાવ દળ ના લોકો પાસે બિનજરૂરી માંગ ન કરવી.
- શક્ય તેટલી બીજાને મદદ કરવી.
### આધુનિક ટેકનોલોજી ની મદદ ##
- હાલના સમયમાં ઉપગ્રહો તથા રડાર ને લીધે કોઈપણ ચક્રવાત આવવાના 48 કલાક પહેલા ચક્રવાત ની સૂચના મળી જાય છે.
- ચક્રવાતની ચેતવણી 24 કલાક પહેલા આપી દેવામાં આવે છે.
- જેથી યોગ્ય વ્યવસ્થા કરી શકાય.




નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇





નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇





નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇




પ્રકરણનો સ્વાધ્યાય

1. નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પૂરો.
A) પવન એ ....... હવા છે.
- ગતિમાન
B) પવનની ઉત્પત્તિ નું કારણ પૃથ્વીની સપાટીની ...... ગરમ થવાની ઘટના છે.
- હવા
C) પૃથ્વીની સપાટી નજીક ....... હવા ઉપર ચડે છે, જ્યારે ........... હવા નીચે આવે છે.
- ગરમ,ઠંડી
D) હવાનો પ્રવાહ .......... દબાણવાળા વિસ્તારથી .......... દબાણ વાળા વિસ્તાર તરફ હોય છે.
- ઊંચા , નીચા
2. આપેલા સ્થળે પવનની દિશા જાણવા માટેની બે પદ્ધતિઓ જણાવો.
- મુઠ્ઠીમાં ધૂળ લઈ નીચે પાડવાથી, 
- વિન્ડ કોક
3. પુસ્તકમાં આપેલા ઉદાહરણો સિવાય બીજા બે તમારા અનુભવો જણાવો કે જે દર્શાવે કે હવા દબાણ કરે છે.
- ફુલાવેલો ફુગ્ગો, પાઇપમાથી પાણી ખેંચવા માટે હવા ખેંચવી, 
4. તમે ઘર ખરીદવા માગો છો. શું તમે બારીઓ ધરાવતું પરંતુ વેન્ટિલેટર ( હવાબારી) વગરનું ઘર ખરીદશો? તમારો જવાબ સમજાવો.
- ના, કારણકે વેન્ટિલેટર  ગરમ હવા બહાર કાઢવા માટે હોવું જોઈએ.


5. લટકતા જાહેરાતના કપડા કે પ્લાસ્ટિકના બેનરો તથા જાહેરાતના હોર્ડિંગ પર કાણા શા માટે પાડવામાં આવે છે?
- જાહેરાતના કપડા કે પ્લાસ્ટિકના બેનરો પર કાણા પાડવાથી હવા તેના દ્વારા બહાર નીકળી જાય છે. જેથી વધારે હવાનું દબાણ લાગતું નથી. અને બેનરો પર હવાનું જોર લાગતું નથી. જેથી બેનરો સહી સલામત રહે છે.
6. તમારા ગામ/શહેરમાં ચક્રવાત ચાલી રહ્યો હોય ત્યારે તમારા પાડોશીને તમે કેવી રીતે મદદ કરશો?
- રેડિયો અને અન્ય માધ્યમથી અપાતી ચેતવણી થી લોકોને માહિતગાર કરીશું.
- પોલીસ કે મેડિકલ ટીમને બોલાવીશું.
- બિનજરૂરી બહાર ન નીકળવા જણાવીશું.
7. ચક્રવાત વડે ઉદ્દભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ક્યાં આયોજનો જરૂરી છે?
- સુરક્ષિત જગ્યાએ પહોંચવું એ સૌથી પહેલી પ્રાથમિકતા છે.
- આકસ્મિક સેવાઓના નંબર રાખવા.
- જરૂરી વસ્તુઓ પહેલેથી લઈ લેવી
- વીજળીના જોડાણ છોડી લેવા
8. નીચે આપેલ સ્થળોમાંથી ક્યાં સ્થળો એ ચક્રવાત આવવાની સંભાવના હોતી નથી?
A) ચેન્નઈ
B) મેંગલુરુ
C) અમૃતસર*
D) પૂરી
9) આપેલા બિધનોમાંથી ક્યાં વિધાનો સત્ય છે?
A) શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે.*
B) ઉનાળા મા પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે.
C) ખૂબ જ ઉંચુ દબાણ અને તેની આસપાસ હવાના ઝડપથી ભ્રમણને લીધે ચક્રવાત સર્જાય છે.
D) ભારતના દરિયા કાંઠા પર ચક્રવાત આવવાની સંભાવના નથી.


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇





પ્રકરણના અગત્યના પ્રશ્નો


1. પવન કોને કહે છે?
- ગતિશીલ હવાને પવન કહે છે.
2. પવનની ઝડપ વધે તેમ હવાના દબાણનું શું થાય છે?
- હવાનું દબાણ ઘટે છે.
૩. હવા હંમેશા ..... વિસ્તારથી..... વિસ્તાર તરફ ગતિ કરે.
- વધારે દબાણ વાળા વિસ્તાર થી ઓછા દબાણ વાળા વિસ્તાર તરફ
4. ચક્રવાત ને અમેરિકામાં શું કહે છે?
- હરીકેન
5. ફિલીપીન્સ માં ચક્રવાતને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
- ટાયફૂન
6. વિષુવવૃત્ત પર ગરમી કેમ વધુ પડે છે?
- ત્યાં બારે માસ સૂર્યના કિરણો સીધા પડે છે એટલે.
7. પવન કઈ રીતે રચાય છે?
- ગરમ હવા હલકી થઈ ઉપર જતા તેનું સ્થાન ઠંડી હવા લેવા આવે છે જેના કારણે પવન રચાય છે.
8. ચક્રવાત આવવાની સૌથી વધુ શક્યતા કેવા પ્રદેશોમાં જોવા મળે છે?
- દરિયા કિનારાના
9.  ચક્રવાત બનવામાં ક્યાં પરિબળો જવાબદાર છે?
- પવનની ઝડપ, પવનની દિશા, તાપમાન અને ભેજનું પ્રમાણ જેવા પરિબળો
10. દરિયાઈ લહેરો કોને કહે છે?
- સમુદ્રકાંઠે દિવસે પવન દરિયા થી ભૂમિ તરફ આવે છે તેને દરિયાઈ લહેર કહે છે.


11. પવનની ઉત્પત્તિ શેના કારણે થાય છે?
- જુદા જુદા સ્થળે અસમાન ગરમી પડવાના કારણે
12. પવનની દિશા જાણવા કયું સાધન વપરાય છે?
- વિન્ડકોક
13. શિયાળામાં પવનની દિશા કઈ બાજુ હોય છે?
- શિયાળામાં ઠંડીના કારણે જમીન જલ્દી ઠંડી થાય છે તથા સમુદ્રનું પાણી તેની સાપેક્ષે ગરમ હોય છે. તેથી દિશા જમીનથી સમુદ્ર તરફ હોય છે.
14. કઈ હવા હલકી છે?
- ગરમ
15. ચક્રવાત ના મધ્ય ભાગ ને શું કહે છે?.
- ચક્રવાત ની આંખ
16. પવનનો વેગ માપવા માટે કયું સાધન વપરાય છે?
- એનીમોમીટર
17. મોસમી પવન કોને કહેવાય?
- જે પવનો સમુદ્ર તરફ થી જમીન તરફ વહે છે તે વરસાદ લાવતાં હોવાથી તેમને મોસમી પવન કહેવાય છે.
18. ગળણી આકારનું કાળું વાદળ ચક્રાકારે જમીન તરફ આવે છે તેને શું કહે છે?
- વંટોળ
19. ચક્રવાત પુર ક્યારે લાવે છે?
- દરિયાકિનારે થી પસાર થાય ત્યારે
20. પ્રથ્વી પર ક્યાં ભાગે સૌથી વધુ ગરમી પડે છે?
- વિષુવવૃત્ત પર


21. એનીમોમિટરનો ઉપયોગ શું છે?
- પવનની ઝડપ માપવા.
22. શું મોટું અને ખુબજ શક્તિશાળી વાવાઝોડું કહેવાય છે?
- ચક્રવાત
23. વિનાશકારી વંટોળ ની ઝડપ કેટલી હોય છે?
- 300કિમી /કલાક
24. પૃથ્વીની 0° અક્ષાંશ બે શું કહેવાય છે?
- વિષુવવૃત્ત
25. પૃથ્વીના ધ્રુવો પર કઈ અક્ષાંશ હોય છે?
- ઉત્તર ધ્રુવ પર 90° ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ ધ્રુવ પર 90° દક્ષિણ અક્ષાંશ 
26. કેવા સ્થળે વાંરવાર ગાજવીજ ઉત્પન્ન થાય છે?
- ભારત જેવા ગરમ, ઉષ્ણકટિબંધીય, ભેજવાળા વિસ્તારમાં વારંવાર ગાજવીજ ઉત્પન્ન થાય છે.
27.ગાજવીજ સાથેનું વાવાઝોડું કેવી રીતે ઉત્પન્ન થાય છે.
- વરસાદ સમયે નીચે આવતા પાણીના ટીપા અને ઉપર જતી હવા વીજળી અને ગડગડાટ ઉત્પન્ન કરે છે. તેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે.
28. ચક્રવાત નો ક્યો ભાગ શાંત હોય છે?
- આંખ
29. ચક્રવાતના કારણે ઉછળતા મોજાની ઊંચાઈ કેટલી હોઈ શકે છે?
- 3 થી 12 મીટર
30. હરીકેન એ શું છે?
- ચક્રવાત

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇




પ્રકરણ 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત
પ્રકરણની સમજૂતી ભાગ:1:Click Here 
પ્રકરણની સમજૂતી ભાગ:2:Click Here 
પ્રકરણની સમજૂતી ભાગ:3:Click Here 
પ્રકરણનો સ્વાધ્યાય:Click Here 
પ્રકરણના અગત્યના પ્રશ્નો:Click Here


September 12, 2020

વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 8 કોષ - રચના અને કાર્યો || Science Standard 8th Chapter 8 Cell - Structure And Functions ||

Jidiya Sanjay ,create a blog

વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 8 કોષ - રચના અને કાર્યો 
|| Science Standard 8th Chapter 8 Cell - Structure And Functions ||




પ્રકરણ 8 કોષ - રચના અને કાર્યો
પ્રકરણની સમજૂતી ભાગ -1 :Click Here
પ્રકરણની સમજૂતી ભાગ -2 :Click Here
પ્રકરણની સમજૂતી ભાગ -3 :Click Here
પ્રકરણનો સ્વાધ્યાય :Click Here

પ્રકરણની સમજૂતી ભાગ -1,2 અને 3 

**8.1  કોષની શોધ**
•રોબર્ટ હુક (1665), બાટલીના બુચનો સુક્ષ્મ છેદ
8.2 કોષ*
  * ઈમારત માં ઈંટ તેમ સજીવોમાં કોષ એ પાયાનો એકમ કહેવાય.
* પ્રાણીઓ અને વનસ્પતિઓ બધાજ કોષોના બનેલા હોય છે.
* મરઘીનું ઈંડુ એક કોષ છે તે કદમાં મોટું હોવાથી નરી આંખે જોઇ શકાય છે.


* કોષના આધારે સજીવોના પ્રકાર *
•જે સજીવોના શરીર એક કોષથી વધારે કોષોના બનેલા હોય છે, તેને બહુકોષીય સજીવ કહેવાય. 
•બહુકોષી સજીવનું જીવન પણ એકકોષથી શરૂ થાય છે.
•કેટલાક સજીવો એવા છે કે તે માત્ર એક જ કોષ ધરાવે છે. આવા સજીવોને એકકોષીય સજીવો કહે છે. અમીબા, પેરામિશિયમ
•એકકોષી સજીવો પણ બધીજ આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહિકોષિય સજીવો કરે છે.
•એકકોષી સજીવમાં એકકોષ દ્વારા શ્વસન, ઉત્સર્જન, વૃધ્ધિ વગેરે ક્રિયા થાય છે. બહુકોષિ સજીવમા આ ક્રિયા વિવિધ કોષોના સમૂહ દ્વારા થાય છે.
* કોષોના આકાર*
•અમીબા : એકકોષી સજીવ છે. તે પ્રવર્ધો ધરાવે છે. જેને ખોટા પગ કહે છે. તે ખોટા પગને ગમે તે બાજુ એ ફેલાવે ખોરાક નો કણ ગ્રહણ કરી શકે છે. તેનો આકાર અનિયમિત છે.આ ખોટા પગ તેને ગતી કરવામાં પણ મદદ કરે છે.
•શ્વેતકણ પણ તેનો આકાર બદલી શકે. શ્વેત કણ એક કોષ છે.જે મનુષ્યના શરીરમાં રુધિરમાં જોવા મળે છે.
•કોષોના આકાર સામાન્ય રીતે ગોળ( રક્તકણ), ચપટાં, લંબાયેલા હોય છે.
•કેટલાક કોષો લાંબા હોય છે જેના બને છેડા અણીદાર( ત્રાકાકાર: સ્નાયુકોષો) હોય છે.
•ચેતાકોષો શખાયુક્ત હોય છે. જે સંદેશાનું વહન કરે છે.
•કોષોને આકાર પ્રદાન કરવાનું કામ પટલ અને કોષદિવાલ કરે છે. કોષદીવાલ કોષને દ્ઢતા પ્રદાન કરે છે.


* કોષોનું કદ*
•સજીવોમાં કોષનું કદ 1મીટરના દસલાખ ભાગ કરો તેટલું નાનું હોય શકે.
•કેટલાક કોષ સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય શકે.
•સુક્ષ્મ કોષો જોવામાટે માઈક્રોસ્કોપ ની જરૂર પડે છે. 
•સૈાથીનાનો કોષ બેક્ટેરિયાનો 0.1 થી 0.5 માઇક્રો મીટર છે.
•સૌથી મોટો કોષ શાહમૃગ નું ઈંડુ છે. તેનું કદ 170mm ×130mm હોય છે.
•કોષનું કદ પ્રાણી કે વનસ્પતિના કદ સાથે સંબંધિત નથી.
•એટલે એવું કહી ન શકાય કે હાથીના કોષો ઉંદર થી મોટા હોય.
* કોષની રચના અને કાર્ય **
•કોઈપણ સજીવમાં કોષોના સમૂહ પેશીની રચના કરે છે. જે કોઈ નિશ્ચિત કાર્ય કરે છે.
•આમ પેશી એ કોષોની બનેલી છે. સજીવ નો મૂળભૂત રચનાત્મક એકમ કોષ કહેવાય છે.
•આમ, પેશી જે કાર્ય કરે છે તે કોષો મળીને  કરે છે તેમ કહેવાય 
* કોષના ભાગો*
•કોષના મૂળભૂત ઘટકો કોષરસ પટલ, કોષકેન્દ્ર અને કોષરસ છે. કોષરસ તેમજ કોષકેન્દ્ર એ કોષરસપટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષના કેન્દ્રમાં એક ઘટ્ટ ગોળાકાર રચના હોય છે તેને કોષકેન્દ્ર કહે છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવો પદાર્થ આવેલ હોય છે તેને કોષરસ કહે છે.
•* કોષરસ પટલ*
•કોષરસ તેમજ કોષ કેન્દ્ર એ કોષકેન્દ્ર પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. તેને જીવરસ પટલ પણ કહે છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષમાં અવર-જવર માટે નું કાર્ય કરે છે.
•વનસ્પતિ કોષમાં કોષરસ પટલની ફરતે વધારાનું પડ હોય છે જેને કોષદિવાલ કહે છે.
•* કોષરસ*
•કોષરસએ  કોષરસ પટલ અને કોષકેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હોય છે.
•કોષરસમાં ઘણી અંગિકાઓ આવેલી હોય છે જેમકે કણાભસૂત્ર ગોલ્ગીકાય વગેરે


•* કોષકેન્દ્ર *
•કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર રચના હોય છે જેને કોષકેન્દ્ર કહેવાય છે.
•તે સરળતાથી માઈક્રોસ્કોપ વડે જોઈ શકાય છે.
•તે કોષરસથી કોષકેન્દ્ર પટલ દ્વારા અલગ પડે છે. કોષકેન્દ્ર પટલ પણ છિદ્રાળુ હોય છે જે કોષરસ અને કોષકેન્દ્ર ની વચ્ચે છે. તે પદાર્થોની અવર- જવર થવા દે છે.
** વધારે ક્ષમતા વાળા માઈક્રોસ્કોપ મા જોતા કોષકેન્દ્રમાં પણ એક ગોળાકાર સંરચના જોવા મળે છે તેને કોષકેન્દ્રિકા કહે છે.કોષકેન્દ્રમા દોરી જેવી સમાન સંરચનાઓ જોવા મળે છે જે રંગસૂત્રો કહેવાય છે. તે જનીન ધરાવે છે. આ જનીન દ્વારા આનુવંશિક લક્ષણો સંતતિમાં આવે છે.રંગસૂત્રો કોષવિભાજન થાય ત્યારે જ દેખાય છે.સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ કહેવાય છે. જીવરસમા કોષરસ અને કોષ્કેન્દ્ર નો સમાવેશ થાય છે. જીવરસ ને કોષના જીવંત ઘટક તરીકે ઓળખાય છે.*
** વનસ્પતિ કોષ*
•રસધાની જોવા મળે છે. જે મોટી હોય છે. વિવિધ રંજક કણ જોવા મળે છે. જેમાં લીલાં રંગના હોય તે હરિત દ્રવ્ય છે. તે પર્ણના લીલાં રંગ માટે જવાબદાર છે. વનસ્પતિ કોષમાં કોષદીવાલ જોવા મળે છે.જે કોષને દઢતા આપે છે.
•હરિત કણ પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી છે.
*પ્રાણીકોષ-
•રસાધાનીઓ નાની હોય છે. હરિત કણ જોવા મળતું નથી. કોશદિવાલ પણ હોતી નથી. બાકીની અંગિકાઓ બંને કોષમાં જોવા મળે છે.
* વનસ્પતિ કોષ અને પ્રાણીકોષ ની તુલના*
•વનસ્પતિ કોષમાં હરિતકણો આવેલા છે જ્યારે પ્રાણી કોષ માં આવેલા હોતા નથી.
•વનસ્પતિ કોષ માં કોષ દીવાલ આવેલી છે જ્યાંરે તે પ્રાણીકોષમાં જોવા મળતી નથી.
•વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે જ્યારે પ્રાણી કોષમાં રસધાનીઓ નાની હોય છે


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇




નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



પ્રકરણનો સ્વાધ્યાય 


પ્રશ્ન 1. નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો.
A)એક કોષીય સજીવો એક કોષનું શરીર ધરાવે છે.✓
B)સ્નાયુ કોષો શાખીત હોય છે. ×
C)સજીવનો પાયાનો જીવંત એકમ અંગ છે. ×
D)અમીબા અનિયમિત આકાર ધરાવે છે.✓
પ્રશ્ન 2. માનવ ચેતાકોષની આકૃતિ દોરો. ચેતાકોષ કયું કાર્ય કરે છે?
-ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે. જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનીયમનનું કાર્ય થાય છે.
પ્રશ્ન 3. નીચેના પર ટૂંકનોંધ લખો.
A)કોષરસ :
•કોષરસએ  કોષરસ પટલ અને કોષકેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હોય છે.
•કોષરસમાં ઘણી અંગિકાઓ આવેલી હોય છે જેમકે કણાભસૂત્ર ,ગોલ્ગીકાય વગેરે
B)કોષકેન્દ્ર:
•કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર રચના હોય છે જેને કોષકેન્દ્ર કહેવાય છે.
•તે સરળતાથી માઈક્રોસ્કોપ વડે જોઈ શકાય છે.
•તે કોષરસથી કોષકેન્દ્ર પટલ દ્વારા અલગ પડે છે. કોષકેન્દ્ર પટલ પણ છિદ્રાળુ હોય છે જે કોષરસ અને કોષકેન્દ્ર ની વચ્ચે છે. તે પદાર્થોની અવર- જવર થવા દે છે.
પ્રશ્ન 4. કોષના કયા ભાગમાં અંગિકાઓ આવેલી હોય છે?
•કોષરસ


પ્રશ્ન 5. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ ની આકૃતિ દોરો. તેમાં જોવા મળતા ત્રણ તફાવત જણાવો
•વનસ્પતિ કોષમાં હરિતકણો આવેલા છે જ્યારે પ્રાણી કોષ માં આવેલા હોતા નથી.
•વનસ્પતિ કોષ માં કોષ દીવાલ આવેલી છે જ્યાંરે તે પ્રાણીકોષમાં જોવા મળતી નથી.
•વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે જ્યારે પ્રાણી કોષમાં રસધાનીઓ નાની હોય છે
પ્રશ્ન 6 સુકોષકેન્દ્રિય તથા આદિકોષકેન્દ્રીય વચ્ચેના તફાવતો જણાવો.
- સુકોષકેન્દ્રિય સજીવો વિકસિત કોષકેન્દ્ર ધરાવે છે. જ્યારે આદિ કોષકેન્દ્રીય સજીવોનું કોષકેન્દ્ર વિકસિત હોય છે.
પ્રશ્ન 7 કોષમાં રંગસૂત્રો ક્યાં જોવા મળે છે? તેનું કાર્ય જણાવો.
-કોષમાં રંગસૂત્રો કોષકેન્દ્રમાં જોવા મળે છે. તે જનીન ધરાવે છે અને આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિમા વહન કરે છે.
       પ્રશ્ન 8  કોષ સજીવ નો મૂળભૂત એકમ છે. સમજાવો.
- સજીવનું શરીર અસંખ્ય કોષો મળીને બનેલું હોય છે. કોષો મળીને જ પેશીઓ બને છે. અને પેશીઓ મળીને તંત્ર બને છે. જેમ કે શ્વસન તંત્ર, પાચન તંત્ર, આમ શરીરના બધાજ અંગો કોષોના બનેલા છે. અને કોઈપણ ક્રિયા છે તે કોષ દ્વારા જ થાય છે. આમ કોષ એ સજીવ નો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
       પ્રશ્ન 9 શા કારણે હરીતકણ વનસ્પતિમાં જ જોવા મળે છે, તે સમજાવો.
- વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. તે પોતે સૂર્યપ્રકાશ મેળવી ખોરાક બનાવે છે. જ્યારે પ્રાણીઓ તો વનસ્પતિ પર આધાર રાખે છે. એટલે ખોરાક મેળવવા માટે હરિત કણ વનસ્પતિઓને ખાસ જરૂર છે.
     પ્રશ્ન 10 યોગ્ય શબ્દ વડે કોયડો પૂરો.
1.તે પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક છે. – હરિતદ્રવ્ય ( chlorophyll)
2.કોષરસમાં આવેલા રચનાઓ માટે વપરાતો શબ્દ -અંગિકા ( organell)
3.કોષમાં આવેલ જીવંતદ્રવ્ય -  જીવરસ
4.રંગસૂત્રો પર આવેલ આનુવંશિક એકમ – જનીન( genes)
5.લીલાં રાંજક કણ – હરિતકણ (chloroplast)
6.પેશીઓના ભેગા થવાથી બનતી રચના – અંગ (organ)
7.તે આજુબાજુના ઘટકોથી કોષના સંઘટકોને છૂટા પાડે છે. કોષરસપટલ ( cell membrane)
8.કોષ રસ માં આવેલ ખાલી જગ્યા- 
9. કોષોનો સમૂહ – પેશી ( tissue)

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



પ્રકરણ 8 કોષ - રચના અને કાર્યો
પ્રકરણની સમજૂતી ભાગ -1 :Click Here
પ્રકરણની સમજૂતી ભાગ -2 :Click Here
પ્રકરણની સમજૂતી ભાગ -3 :Click Here
પ્રકરણનો સ્વાધ્યાય :Click Here

Friday, September 11, 2020

September 11, 2020

વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 6 દહન અને જ્યોત || Science Class 8th Chapter 6 Combustion and Flame ||

Jidiya Sanjay ,create a blog

વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 6 દહન અને જ્યોત

|| Science Class 8th Chapter 6 Combustion and Flame ||


પ્રકરણ 6 દહન અને જ્યોત
1.પ્રકરણની સમજૂતી ભાગ 1:Click Here
2.પ્રકરણની સમજૂતી ભાગ 2:Click Here
3.પ્રકરણનો સ્વાધ્યાય:Click Here


પ્રકરણની સમજૂતી ભાગ:1 અને 2 

Std 8 science ch6 દહન અને જ્યોત
* દહન*
•દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થ
•દહનશીલ : લાકડું, કાગળ, કેરોસીન, સ્ટ્રો, કોલસો, દિવાસળી, ડીઝલ, કુદરતી વાયુ, રૂ
•અદહનશીલ : લોખંડની ખીલી, પથ્થરનો ટુકડો, કાચ, ટાઇલ્સ, માર્બલ્સ
•આમ, તમને ખ્યાલ આવી ગયો હશે કે જે ઝડપથી સળગી જાય તે દહન શિલ અને જડપથી ન સળગે તે અદહનશિલ પદાર્થ કહેવાય.
•દહન માટે ઑક્સિજન ની જરૂર પડે છે.
•ઓકસીજન વગર દહન શક્ય નથી. ( પ્રવૃત્તિ )
•**સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયાના કારણે ઊર્જા ઉત્પન્ન થાય છે.
* વ્યક્તિ.ને આગ લાગે તો શું કરવું **
•પાણી ન નાખવું.
•ધાબળા વડે આગ ઓલવવી. કારણકે પાણી થી ચામડી ફાટી જવાની શક્યતા રહે. અને ધાબળા દ્વારા ઓકસીજન ન મળે એટલે આગ ઓલવી શકાય.


* જવલનબિંદુ*
•લાકડું દિવાસળી વડે સળગશે? 
•તમારો જવાબ હશે ના . કારણ કે દિવાસળી દ્વારા મળતુ તાપમાન લાકડાને સળગાવવા માટે પૂરતું નથી.
•કેરોસીન લાકડા પર નાખ્યા બાદ દિવાસળી વડે લાકડું સળગશે?
•તમારો જવાબ હશે હા. કારણ કે કેરોસીન એ જ્વલનશીલ પદાર્થ છે. જેથી નીચા તાપમાને સળગે છે 
•આમ, પદાર્થને સળગવા માટે જે તાપમાન જોઈએ તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહેવાય.
•દા.ત. કેરોસીન નું જ્વલન બિંદુ ઓછું હોય અને લાકડાનું વધુ હોય.
•પેપરમાં  કપમાં પાણી ભરીને સળગાવો. શું કપ સળગે ?
• તમારો જવાબ હશે ના. કારણ કે પાણી + કાગળનું જ્વલન બિંદુ ઊંચું હોય છે. તેથી ના સળગે.
* જ્વલનશીલ પદાર્થો*
•જેનું જવલાંબિંદુનીચું હોય તેવા પદાર્થોને જ્વલનશીલપદાર્થો કહેવાય.
•આવા પદાર્થો જ્યોતના સંપર્કમાં આવતા જ સળગી જાય છે.
•પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આલ્કોહોલ, lpg, cng
* આગનું નિયંત્રણ **
•આગ લાગે ત્યારે તરત જ વીજપુરવઠો બંધ કરી પાણી નો છંટકાવ કરવો.
•વિદ્યુત થી કે પેટ્રોલ ડીઝલ થી લાગેલી આગ માટે પાણીનો ઉપયોગ ન કરવો.
•ફાયરબ્રિગેડ ને બોલાવી.
•ફાયરબ્રિગેડ પાણી તથા અગ્નિશામક યંત્રનો ઉપયોગ કરે છે. જેથી જવલનબિંદુ નીચું આવે છે. જેથી આગ ઓલવાય છે.
•પાણીની વરાળ પણ આગ ઓલવવા મા મદદ કરે છે
* પદાર્થ સળગવા ( દહન થવા) માટે જરૂરી શરત **
•સતત ઓકસીજન મળતો રહેવો જોઈએ.
•બળતણનો જથ્થો મળતો રહેવો જોઈએ.
•પદાર્થનું તાપમાન  તેના જવલનનિંદુ એ પહોંચવું જોઈએ


* દહનના પ્રકારો *
•ઝડપી દહન : વાયુઓ, જ્વલનશીલ પદાર્થો. ફોસ્ફરસ સામાન્ય તાપમાને પણ સળગી જાય. તેથી પાણીમાં રાખવામાં આવતો હોય છે.
•ધીમું દહન: જેમાં દહન ધીમું થાય.તેને ધીમું દહન કહેવાય.
•સ્વયં સ્ફુરિત દહન : કોઈ દેખીતા કારણ વગર જ પદાર્થ સળગે તેને સ્વયં સ્ફૂરિત દહન કહેવાય. કોલસાનું દહન ક્યારેક આવી રીતે થાય. કેટલીક વાર ગરમી પડવાથી આવું દહન થતું હોય છે. 
*. દાવાનળ*
•જંગલમાં લાગતી આગ
•ક્યારેક અતિશય ગરમીના કારણે જંગલમાં આગલાગી જાય છે. જે વન્યપ્રાણી માટે જોખમી છે.
•ક્યારેક માનવે જંગલમાં કરેલા તાપણાના કારણે પણ આગ લાગતી હોયછે.
* વિસ્ફોટ *
•દહનનો જ એક પ્રકાર છે
•ફટાકડામાં વિસ્ફોટ થાય છે.
* જ્યોત *
•LPG : વાદળી જ્યોત 
•મેગ્નેશિયમ ની પટ્ટી : સફેદ જ્યોત
•મીણબત્તી : પીળી જ્યોત
•કેરોસીન સ્ટવ : પીળી જ્યોત
•કોલસો : જ્યોત ઉત્પન્ન થતી નથી
•* LPG તથા કેરોસીન સ્ટવ અને મીણબત્તી મા જ્યોત ઉત્પન્ન થાય છે. જે પદાર્થનું દહન થાય ત્યારે બાષ્પીભવન થતું હોય તો જ્યોત ઉત્પન્ન થશે. નહીતો જ્યોત ઉત્પન્ન થશે નહિ.


* જ્યોતનું બંધારણ ***
•સૌથી બહારનો વિસ્તાર : સંપૂર્ણ દહન ( વાદળી)
•વચ્ચેનો વિસ્તાર : અપૂર્ણ દહન ( પીળો)
•સૌથી અંદરનો વિસ્તાર : ન દહન થયેલો ભાગ ( કાળો)
* બળતણ એટલે શું *
•ઓદ્યોગિક જરૂરિયાત માટે ઉષ્મા ઊર્જા મેળવવા માટે વપરાતા પદાર્થોને બળતણ કહે છે.
•કોલસો, લાકડું, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, LPG, CNG
•મુખ્યત્વે સારું બળતણ તેને કહેવાય જે સારી ઉષ્મા ઊર્જા આપે. અને સારી રીતે દહન પામતું હોય.
•* આદર્શ બળતણ : જેનું સંપૂર્ણ દહન થાય. અને અનિચ્છનીય પદાર્થો ઉત્પન્ન ન કરે તેવું બળતણ**
•ઘન બળતણ : કોલસો, લાકડું
•પ્રવાહી બળતણ : કેરોસીન, પેટ્રોલ, ડીઝલ
•વાયુ બળતણ : હાઈડ્રોજન, CNG, LPG
* બળતણની કાર્ય ક્ષમતા*
•જેનું કેલરી મૂલ્ય વધુ તેની કાર્ય ક્ષમતા પણ વધુ.
•બળતણના કેલરી મૂલ્યને કિલોજૂલ પ્રતિ મૂલ્ય ( kj/kg) મા દર્શાવાય છે.
* બળતણના દહન થી હાનિકારક અસરો*
•અપૂર્ણ દહનના કારણે સ્વાસ્થ્ય સંબંધિત રોગો થઈ શકે.
•અપૂર્ણ દહનથી કાર્બન મોનોકસાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. જે ખૂબ જ ઝેરી છે.
•કાર્બન ડાયોક્સાઈડ વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે.
•કોલસા તથા ડીઝલના દહન થી સલ્ફર ડાયોક્સાઈડ ઉત્પન્ન થાય છે જે વરસાદ સાથે ભળી એસિડ બની જાય છે. અને વરસાદ સાથે નીચે આવે છે. જેને એસિડ વર્ષા કહે છે. જે ખેતીના પાક, ઇમારતો અને જમીન માટે હાનિકારક છે.
•** CNG સ્વચ્છ બળતણ છે.પ્રદૂષણ કરતો નથી. તેથી તેનો ઉપયોગ વધારવો.
•** એસિડ વર્ષા : સલ્ફર ડાયોક્સાઈડ, નાઈટ્રોજન ઓક્સાઈડ


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇




પ્રકરણનો સ્વાધ્યાય



* ધોરણ 8 પ્રકરણ 6 દહન અને જ્યોત *
* STD 8 ch 6 science***
* સ્વાઘ્યાય*
1.જે શરતો હેઠળ દહન થઈ શકે, તેની યાદી બનાવો.
•ઓકસીજન સતત મળવો જોઈએ.
•બળતણ સતત મળવું જોઈએ.
•પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચવું જોઈએ
2.ખાલીજગ્યા પૂરો.
A)લાકડું અને કોલસાના દહન થી હવા……….. થાય છે.
પ્રદૂષિત
B)…………. એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે.
કેરોસીન
C)બળતણ સળગે તે પહેલાં તેને તેના…….. સુધી ગરમ કરવું અનિવાર્ય છે.
જ્વલન બિંદુ
D)તેલથી લાગેલી આગને ……..  વડે નિયંત્રિત કરી શકાય નહિ.
પાણી
3.વાહનોમાં CNG વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે, તે સમજાવો.
•CNG બીજા બળતણની સાપેક્ષે ખુબજ સારું દહન કરે છે. અન્ય બળતણ ખૂબ વધારે ઝેરી વાય ઉત્પન્ન કરે છે. અને cng સ્વચ્છ બળતણ હોવાથી પ્રદૂષણ મા ઘટાડો થયો છે તેમ કહેવાય.
4.બળતણ તરીકે એલ.પી.જી અને લાકડાની સરખામણી કરો.
•LPG લાકડાના પ્રમાણમાં વધારે કાર્યક્ષમતા ધરાવે છે અને પ્રદૂષણ ઓછું કરે છે. જ્યારે લાકડું અપૂર્ણ દહન કરે છે. તથા ધુમાડો ઉત્પન્ન કરે છે. આમ લાકડા કરતા Lpg નો ઉપયોગ કરવો જોઈએ 


5.કારણો આપો.
A)વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી.
કારણકે પાણી વિદ્યુત નું સુવાહક છે. તેથી પાણી ફેલાય તો શિક લાગવાની સંભાવના રહે છે.માટે વિદ્યુત ના સાધનો સાથે સંકળાયેલી આગ માટે પાણી વપરાય નહીં.
B)લાકડા કરતા LPG  એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે.
LPG લાકડાના પ્રમાણમાં વધારે કાર્યક્ષમતા ધરાવે છે અને પ્રદૂષણ ઓછું કરે છે. જ્યારે લાકડું અપૂર્ણ દહન કરે છે. તથા ધુમાડો ઉત્પન્ન કરે છે. તેથી લાકડા કરતા LPG  એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે.
C)કાગળ પોતે જ સરળતાથી આગ પકડી લે છે પરંતુ એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટળાયેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી. સમજાવો.
કાગળ એકલો હોય ત્યારે તેનું જ્વલન બિંદુ ઓછું હોય તેથી ઝડપથી આગ પકડે છે. પરંતુ એલ્યુમિનિયમના પાઇપ ફરતે  વિંતાળવાથી તેનું જ્વલન બિંદુ ઊંચું જતું રહે છે. તેથી સળગતો નથી.

6.મીણબત્તી નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
7.બળતણ નું કેલેરી મૂલ્ય ક્યાં એકમ મા દર્શાવાય છે?
•Kj/kg 
8.કાર્બન ડાયોક્સાઈડ કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે,  તે સમજાવો.
•કાર્બન ડાયોક્સાઈડ અગ્નિશામક વાયુ છે. તેથી તેના ફુવારા કરવાથી ઓકસીજન પદાર્થોને ન મળતા આગ નિયંત્રિત થાય છે.
9.લીલાં પાંદડાં ના ઢગલાને  સળગાવવો અઘરો છે પરંતુ સૂકા પાંદડા સરળતાથી આગ પકડી લે છે- સમજાવો.
•લીલાં પાંદડાં નું જ્વલન બિંદુ ઊંચું છે તેથી વધારે તાપમાનની જરૂર પડે છે જ્યારે ચોખા પાંદડા નું દો ખુબ જ છે તેથી તેઓ સરળતાથી આગ પકડી લે છે.
10.સોની મીણબત્તી ની જ્યોત ના કયા વિસ્તારનો ભાગ સોનુ અને ચાંદી પિગાળવા માટે ઉપયોગ કરે છે અને શા માટે?
•સૌથી બહારના ભાગમાં. કારણકે ત્યાં મીણબત્તી નો સૌથી વધુ ગરમ ભાગ હોય છે.
11.એક પ્રયોગમાં ૪.૫ કિલો ગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 180000 kj નોંધાઇ. બળતણનું કેલરી મુલ્ય શોધો.
•બળતણ નું કેલેરી મુલ્ય પ્રતિ કિલોગ્રામ શોધી શકાય.
• તેથી 180000/4.5=40000kj/kg
12.શું કાટ લાગવાની ક્રિયાને દહન કઈ શકાય? – ચર્ચા કરો.
- ના
13.આબિદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતા જેમાં પાણીને બિકરમાં ગરમ કરવાનું હતું. આબિદાએ બિકરને વાટની નજીક પીળા ભાગમાં રાખ્યું. રમેશે બિકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. કોનુ પાણી ઓછા સમયમાં ગરમ થઇ જશે?
•રમેશ

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇





પ્રકરણ 6 દહન અને જ્યોત
1.પ્રકરણની સમજૂતી ભાગ 1:Click Here
2.પ્રકરણની સમજૂતી ભાગ 2:Click Here
3.પ્રકરણનો સ્વાધ્યાય:Click Here


September 11, 2020

વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 5 કોલસો અને પેટ્રોલિયમ || Science Class 8th Chapter 5 Coal and Petroleum ||

Jidiya Sanjay ,create a blog

વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 5 કોલસો અને પેટ્રોલિયમ

|| Science Class 8th Chapter 5 Coal and Petroleum ||

પ્રકરણ :5: કોલસો અને પેટ્રોલિયમ
પ્રકરણની સમજૂતી ભાગ -1 :Click Here
પ્રકરણની સમજૂતી ભાગ -2 :Click Here
પ્રકરણનો સ્વાધ્યાય :Click Here


પ્રકરણની સમજૂતી ભાગ:1 અને 2 


* પ્રસ્તાવના *
કુદરતી પદાર્થો
માનવસર્જિત પદાર્થો
* કુદરતમાં પ્રાપ્યતા ના આધારે કુદરતી સંસાધનો ના પ્રકાર*


1.પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો : 
•અમર્યાદિત જથ્થો
•ખૂટે નહિ તેવા
•પ્રદૂષણ ન થાય.
•કોઈની માલિકી ન હોય.
•ઉદા.સૂર્યપ્રકાશ ,હવા, જળ, 
2.પુનઃ અપ્રાપ્ય કુદરતી સ્રોત :
•મર્યાદિત જથ્થો
•ખૂટી જાય તેવા
•પ્રદૂષણ ફેલાવે
•માલિકી હોય
•ઉદા. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, જંગલો, ખનીજ, 
નોંધ : જે સંસાધનો પ્રાણીઓ કે વનસ્પતિના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા હોય છે જેને અશ્મી બળતણ કહેવાય છે.
***5.1* કોલસો*
*કોલસો બન્યો કઈ રીતે* કાર્બોનાસિઝેશન*
લાખો વર્ષ પહેલાં જંગલો જમીનની નીચે દટાઈ ગયા . તેમના પર માટે જમા થઈ જવાથી દબાઈ ગયા. ઊંડે જવાથી તાપમાનમાં પણ વધારો થયો. જેના કારણે મૃત વનસ્પતિ ધીરે ધીરે કોલસા મા ફેરવાઈ.

•પથ્થર જેવો કાળો રંગ
•બળતણ તરીકે વપરાય.
•રેલવે એન્જિન મા વપરાતો.
•વિદ્યુત મથક મા વપરાય
•ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય
•ચાર પ્રકાર : પિટ, લિગ્નાઈટ,  બુટૂમીન, એન્થ્રેસાઈટ
•કોલસાને હવામાં ગરમ કરતા સળગે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય.
•કોલસા માથી કોક, કોલગેસ, કોલટાર મળે છે.
* કોક* 
•સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે.
•તે કોલસાના શુધ્ધ પ્રકાર છે.
•સ્ટીલના ઉત્પાદન અને નિષ્કર્ષણ મા ઉપયોગી.
* કોલટાર** 
•તે કાળું, ઘટ્ટ તથા અણગમતી વાસ વાળું પ્રવાહી છે.
•200 જેટલા પદાર્થોનું મિશ્રણ
•રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો, ફોટોગ્રાફીક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થો
•ડામરની ગોળી બનાવવા માટે પણ કોલટાર વપરાય છે.
* કોલગેસ *
•કોક બનવાની પ્રક્રિયા સાથે કોલગેસ મેળવવામાં આવે છે.
•બળતણ તરીકે
•તેને ઉષ્માના સ્રોત તરીકે વાપરવામાં આવે છે.


**5.2* પેટ્રોલિયમ **
* પેટ્રોલિયમ કઈ રીતે બન્યું હશે*
•સમુદ્રમાં રહેતા સજીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહ સમુદ્રના તળિયે જતા રહ્યા. અને રેતી તથા માટીના સ્તરો થી ઢંકાઈ ગયા. લખો વર્ષો પછી હવાની ગેરહાજરી માં અને ઊંચા તાપમાને અને દબાણ ને લીધે મૃતજીવો પેટ્રોલિયમ અને કુદરતી  વાયુ બન્યા.
•પેટ્રોલ અને ડીઝલ પેટ્રોલિયમ માથી બને છે. 
•પેટ્રોલિયમ અને કુદરતી વાયુ સામાન્ય રીતે સાથે મળી આવે છે.
•પેટ્રોલિયમ એ કાળું ઘટ્ટ પ્રવાહી છે તેથી તેને પ્રવાહી કોલસો પણ કહે છે.
* પેટ્રોલિયમ નું વિશુધ્ધિ કરણ *
•શુદ્ધીકરણ માટે પેટ્રોલિયમ રિફાઈનરી બનાવવામાં આવે છે.
•શુધ્ધ કરતા તેમાંથી નીચેના ઘટકો મળે.
•LPG : લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ- પ્રવાહી વાયુ – બ્યુટેન ગેસ હોય. તે બળતણ તરીકે વપરાય.
•પેટ્રોલ : વાહનોના બળતણ તરીકે, હવાઇજહાજનું બળતણ , ડ્રાયકલીનીંગ માટે સોલ્વન્ટ(દ્રાવક)
•કેરોસીન : સ્ટવ, દીવા અને જેટ પ્લેન માટેનું બળતણ
•ડીઝલ : ભારે વાહનોના બળતણ તરીકે, ઈલેક્ટ્રીક જનરેટર માટેના બળતણ
•ઉંજણ તેલ : ઊંજવા માટે.
•પેરાફીન મીણ : મલમ, મીણ, વેસોલીન
• બિટુમિન : રંગો બનાવવા, રોડ સમતલ કરવા.
** 5.3** કુદરતી વાયુ**
•પેટ્રોલિયમ સાથે મળી આવે.
•CNG કહેવાય.
•CNG : કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ
•મુખ્ય વાયુ મિથેન હોય.
•વાહનવ્યવહાર મા બળતણ તરીકે ઉપયોગ. પ્રદૂષણ ઓછું કરે.
•પાઇપલાઇન દ્વારા તેને ઘર કે કારખાના સુધી પહોંચાડી શકાય છે તેથી બીજો ખર્ચ બચી જાય છે.
•ખાતરના ઉત્પાદનમાં ઉપયોગી.
•ક્રિષ્ના - ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં તેનો ભંડાર છે.
* 5.4** કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત છે.
** પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતોનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવો.
•આપણને ખ્યાલ છે કે કેટલાક કુદરતી સંસાધનો ખૂટી જાય તેવા છે. તેથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ ન કરીએ તો તે નજીકના ભવિષ્યમાં ખૂટી જશે. આ ઉપરાંત પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો જવા કે પેટ્રોલિયમ અને કોલસો એ પ્રદૂષણ પણ કરે છે તેથી પર્યાવરણને નુકસાન થાય છે. માટે પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
* આપણે શું કરી શકીએ*
•બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવો.
•ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જ રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દો.
•વાહનોના ટાયર માં યોગ્ય દબાણની ખાતરી કરો.
•વાહનોને નિયમિત સર્વિસ કરો
•બને ત્યાં સુધી જાહેર વાહનોનો ઉપયોગ કરો.
•કુદરતી સ્રોતો સેવા કે જળ ઊર્જા પવન ઊર્જા સૌર ઊર્જાનો ઉપયોગ કરો.
** PCRA : the petroleum conservation and research association


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇




નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇




પ્રકરણનો સ્વાધ્યાય


1.CNG અને LPG ને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે?
•પ્રદૂષણ ઓછું થાય.
•પારોલાઈન દ્વારા પહોંચાડી શકાય.
•પ્રમાણમાં પેટ્રોલ, ડીઝલ કરતા સસ્તું
2. રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશ નું નામ જણાવો.
•બિટુમિન
3.અમૃત વનસ્પતિ માંથી કોલસો કઈ રીતે બને છે? આ  પ્રક્રિયાને ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
લાખો વર્ષ પહેલાં જંગલો જમીનની નીચે દટાઈ ગયા . તેમના પર માટે જમા થઈ જવાથી દબાઈ ગયા. ઊંડે જવાથી તાપમાનમાં પણ વધારો થયો. જેના કારણે મૃત વનસ્પતિ ધીરે ધીરે કોલસા મા ફેરવાઈ.આ પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે.


4.ખાલી જગ્યા પૂરો.
A)અશ્મિ બળતણ ………….. અને ………… હોય છે
•* કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુઓ
         B).    પેટ્રોલિયમ માંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ………….. કહે છે.
•પેટ્રોલિયમનું શુદ્ધિકરણ
•C) …………. એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે.
•CNG
5.નીચેના વિધાનોના ખરા - ખોટા કહો.
•અશ્મિબળતણ ને પ્રયોગશાળામાં બનાવી શકાય છે. ×
•CNG એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. ✓
•કોક કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. ✓
•કોલટાર વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. ✓
•કેરોસીન અશ્મિબળતણ નથી. ×
6.શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો.
•કારણકે અશ્મિબળતણ ને બનતા લાખો વર્ષો લાગે છે. એકવાર ખૂટી ગયા પછી તે ફરીથી મળી શકતું નથી.માટે તે પુનઃ અપ્રાપ્ય છે.
7.કોકના લક્ષણો અને ઉપયોગો જણાવો.
**લક્ષણો : તે સખત,  છીદ્રાળું અને કાળા રંગનો પદાર્થ છે. તે કાર્બનનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. 
** ઉપયોગો : સ્ટીલના ઉત્પાદનમાં. કેટલીક ધાતુઓના નિષ્કર્ષણ મા
8.પેટ્રોલિયમ ની બનાવટની પ્રક્રિયા વર્ણવો.
•સમુદ્રમાં રહેતા સજીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહ સમુદ્રના તળિયે જતા રહ્યા. અને રેતી તથા માટીના સ્તરો થી ઢંકાઈ ગયા. લખો વર્ષો પછી હવાની ગેરહાજરી માં અને ઊંચા તાપમાને અને દબાણ ને લીધે મૃતજીવો પેટ્રોલિયમ અને કુદરતી  વાયુ બન્યા.


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



પ્રકરણ :5: કોલસો અને પેટ્રોલિયમ
પ્રકરણની સમજૂતી ભાગ -1 :Click Here
પ્રકરણની સમજૂતી ભાગ -2 :Click Here
પ્રકરણનો સ્વાધ્યાય :Click Here