BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Sunday, August 23, 2020

મોર્યયુગ:ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 સ્વાધ્યાય||social science class 6th chapter 6th Swadhyaay||

Jidiya Sanjay ,create a blog


||મોર્યયુગ:ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક|| 
||ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 સ્વાધ્યાય||
||social science class 6th chapter 6th Swadhyaay||

સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના અન્ય પ્રકરણના સ્વાધ્યાયના વિડિયો જોવા માટે અહીં કલીક કરો:👇👇

પ્રકરણ:૧: ચાલો, ઇતિહાસ જાણીએ: Click Here
પ્રકરણ:૨: આદિમાનવથી સ્થાયી જીવનની સફર:Click Here
પ્રકરણ:૩: પ્રાચીન નગરો અને ગ્રંથો:Click Here
પ્રકરણ:૪: ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા:Click Here
પ્રકરણ:૫: શાંતિની શોધમાં:બુદ્ધ અને મહાવીર:Click Here
પ્રકરણ:૬: મોર્યયુગ:ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક:Click Here
પ્રકરણ:૭: ગુપ્તયુગ અને અન્ય શાસકો:Click Here
પ્રકરણ:૮: ભારતવર્ષની ભવ્યતા:Click Here
પ્રકરણ:૯: આપણું ઘર:પૃથ્વી:Click Here

1. વિકલ્પો પસંદ કરી ઉત્તર લખો.
(1) ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના  માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો?
(A)ગુરુ દ્રોણ (B) ગુરુ સાંદીપનિ (C) ગુરુ ચાણક્ય* (D) ગુરુ વિશ્વામિત્ર
(2) ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે?
(A) નીતિશાસ્ત્ર (B) સમાજશાસ્ત્ર (C) મુદ્રારાક્ષસ (D) અર્થશાસ્ત્ર*
(3) બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી?
(A) અવંતી (B) તક્ષશિલા (C) પાટલીપુત્ર (D) ઉજ્જૈન*
(4) અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા?
(A) સીરિયા (B) સિલોન* (C)મ્યાનમાર (D) ઈજીપ્ત
(5) અશોક ના મોટાભાગના શિલાલેખોની ભાષા કઈ હતી?
(A) ઈરાની (B)પાલી (C)પ્રાકૃત* (D) બ્રાહ્મી
2. ટુંકમાં ઉત્તર આપો.
(1) સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું?
- અશોકનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસુર , પશ્ચિમે ગુજરાત - સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ ( બિહાર) , કલિંગ ( ઓડિશા) સુધી ફેલાયેલું હતું.
(2) સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ક્યા પરિણામો આવ્યા?
- ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો  જીત્યા. (1) કાબુલ (2)કંદહાર (3) હેરાત (4) બુલિચિ સ્તાન 
- સેલ્યૂકસ ની પુત્રી સાથે વિવાહ કર્યા.
- સેલ્યુકસે મેગસ્થનીજ નામનો રાજદૂત ચંદ્રગુપ્ત ના દરબારમાં મોકલ્યો. તેને ઇન્ડીકા નામનું પુસ્તક લખ્યું જેમાંથી તે વખતની રાજતંત્ર ની માહિતી મળી રહે છે.
(3) મૌર્ય સામ્રાજ્ય અને વહીવટી સરળતા ખાતર કેટલાં વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું?
- ત્રણ
- કેન્દ્રીય, પ્રાંતીય, પ્રાદેશિક ( સ્થાનિક )
(4) અશોકે ગૌતમ બુદ્ધ ના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો?
- અશોકે ગૌતમ બુધ્ધના ઉપદેશો માથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા.
- તેઓએ ધર્મ ખાતાની રચના કરી.
- ધમ્મ માહામાત્ર નામના અધિકારીની નિયુક્તિ કરી. 
- આ અધિકારીનું કામ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. 
5) રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારી ના કાર્યો જણાવો.
- રાજ ના જુદા જુદા પ્રાંતમાં રાજકુમારોને નિમાતા. તેમને રાષ્ટ્રીય કહેવાતા.
- તેમનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ - વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવાનું હતું.
3.ખરા ખોટા જણાવો.
1). મેગસ્થનીસ દ્વારા ઇન્ડીકા અને કલ્હણ દ્વારા મુદ્રારાક્ષસ ની રચના કરવામાં આવી હતી.×
2) ધમ્મ મહામાત્ર નું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું
3) ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણબેલગોડા માં વિતાવી હતી.
4) બિંદુસાર ના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્ય માંથી સ્વતંત્ર થઈ ગયું
5) અશોકે ઉપગુપ્તના ઉપદેશ ને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.

ઉપરોક્ત માહિતીને સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળવા માટે અહીં કલીક કરો. 👇👇




સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના અન્ય પ્રકરણના સ્વાધ્યાયના વિડિયો જોવા માટે અહીં કલીક કરો:👇👇

પ્રકરણ:૧: ચાલો, ઇતિહાસ જાણીએ: Click Here
પ્રકરણ:૨: આદિમાનવથી સ્થાયી જીવનની સફર:Click Here
પ્રકરણ:૩: પ્રાચીન નગરો અને ગ્રંથો:Click Here
પ્રકરણ:૪: ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા:Click Here
પ્રકરણ:૫: શાંતિની શોધમાં:બુદ્ધ અને મહાવીર:Click Here
પ્રકરણ:૬: મોર્યયુગ:ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક:Click Here
પ્રકરણ:૭: ગુપ્તયુગ અને અન્ય શાસકો:Click Here
પ્રકરણ:૮: ભારતવર્ષની ભવ્યતા:Click Here
પ્રકરણ:૯: આપણું ઘર:પૃથ્વી:Click Here

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !