||સામાજિક વિજ્ઞાન ધોરણ 7 ઓનલાઈન ક્વિઝ-6 ||
પ્રકરણ- 6. ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો
||Online Quiz Standard 7th Social Science Ch-6 ||
ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો
1. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા ?
ગુરુ નાનક નિર્ગુણ શાખાના સંત હતા .
2. જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે ?
જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા જ્ઞાનેશ્વરી નામે ઓળખાય છે .
3. મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે ?
મહારાષ્ટ્રના સંત તુકારામનાં અભંગો ખૂબ જ જાણીતા છે .
4. ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી ?
ભારતમાં સૂફી મત ફેલાવનાર ચાર પરંપરાઓ હતી .
5. ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી ?
ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થઈ હતી .
6. કબીરના કવિતાસંગ્રહનું નામ જણાવો .
કબીરના કવિતાસંગ્રહનું નામ બીજક છે .
7. શીખ ધર્મના સ્થાપક કોણ હતા ?
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક હતા .
8. ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે ?
ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે નરસિંહ મહેતા ઓળખાય છે .
9. કયા સંતના પદો 'પ્રભાતિયા' તરીકે જાણીતા બન્યા છે ?
નરસિંહ મહેતાના પદો 'પ્રભાતિયા' તરીકે જાણીતા બન્યા છે.
10. કયા સંતના શિષ્યોમાં હિન્દુ - મુસ્લિમોનો સમાવેશ થતો હતો ?
સંત કબીરના શિષ્યોમાં હિન્દુ - મુસ્લિમોનો સમાવેશ થતો હતો .
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !