||સામાજિક વિજ્ઞાન ધોરણ 7 ઓનલાઈન ક્વિઝ-9 ||
પ્રકરણ- 9. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો
||Online Quiz Standard 7th Social Science Ch-9 ||
ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો
1. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે ?
અનાજ પીસવા માટે ગ્રેનાઈટ પથ્થરનો ઉપયોગ થાય છે .
2. પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે ?
પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને ભૂકવચ કહે છે .
3. નીચે આપેલા ખનીજોમાંથી કયા ખનીજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી ?
સ્લેટ નો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી .
4. મુખત્રિકોણપ્રદેશનું નિર્માણ નીચેનામાંથી કોણ કરે છે ?
નદી મુખત્રિકોણપ્રદેશનું નિર્માણ કરે છે .
5. પૃથ્વીનો આકાર કેવો છે ?
પૃથ્વીનો આકાર ગોળ છે .
6. સૂર્યમંડળના કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે ?
સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે .
7. સમુદ્રના મોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને શું કહે છે ?
સમુદ્રના મોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને સ્ટૈક કહે છે .
8. ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઈટના ઘણા બધા ખડકો જોવા મળે છે ?
ગુજરાતના ગિરનારમાં બેસાલ્ટ અને ગ્રેનાઈટના ઘણા બધા ખડકો જોવા મળે છે.
9. રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતાં માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહેવામાં આવે છે ?
રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતાં માટીના કણ જમીન પર પથરાય તો તેને ઢૂવા કહેવામાં આવે છે.
10. મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે ?
મહાસાગરના કવચને સિમા કહેવામાં આવે છે .
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !